Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : રાજકોટની ગર્ભવતી યુવતીની ભવનાથ જંગલમાં હત્યા, હત્યારા પ્રેમીની ધરપકડ

જુનાગઢના ભવનાથ જંગલમાંથી રાજકોટની ગર્ભવતી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

X

જુનાગઢના ભવનાથ જંગલમાંથી રાજકોટની ગર્ભવતી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. લીવ ઈન રીલેશનમાં રહેતી યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરતાં રાજકોટ પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે.

રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધના લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો. બન્ને ગત 8 તારીખના રોજ જુનાગઢ આવ્યા હતા અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં આવેલ ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલમાં લઇ જઈ છરીના ઘા મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જોવા મળતો હતો જેથી તેના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી.

રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખનું લોકેશન મેળવી તેની પુછપરછ કરી હતી. પુછપરછ દરમ્યાન ઉર્મિલાની જુનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. જેથી રાજકોટ પોલીસે જુનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારના જંગલોમાં મનસુખને સાથે રાખી મૃતદેહની શોધખોળ કરી હતી. જોકે, મૃતદેહનો એક હાથ કોઈ પ્રાણી ખાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો મળ્યો હતો. એક તરફ જંગલ વિસ્તારમાં સિંહો ગર્જના કરતા હતા, ત્યારે પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે મૃતક ઉર્મિલાના માતાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Next Story