જુનાગઢ : નગરપાલિકાના વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ પર વિરોધીઓનો પથ્થરમારો,મહિલા પોલીસકર્મી પણ થયા ઘાયલ

જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસનો વિજય થયો છે,અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા વિરોધીઓના ટોળાએ પથ્થરમારો કરીને હુમલો કર્યો

New Update
  • જૂનાગઢ ન.પ.ના વોર્ડ 8માં કોંગ્રેસનો વિજય

  • વિજય સરઘસ પર વિરોધીઓનો પથ્થરમારો

  • પોલીસની હાજરીમાં હુમલો થયો હોવાનો આક્ષેપ

  • ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

  • મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા 

Advertisment

જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસનો વિજય થયો છે,અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા વિરોધીઓના ટોળાએ પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો.અને એક મહિલા પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.જેના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો,જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,જોકે આ સરઘસ દરમિયાન વિરોધીઓના ટોળા દ્વારા પથ્થરમારો કરીને હિચકારો હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.અને પોલીસ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.આ હુમલામાં એક મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કોંગ્રેસના કાર્યકર્તા અરમાન શેખે જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં જ વિરોધીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો,હાલ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે કોંગ્રેસના અશરફ થઇમ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ હુમલો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment