જુનાગઢ : નગરપાલિકાના વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ પર વિરોધીઓનો પથ્થરમારો,મહિલા પોલીસકર્મી પણ થયા ઘાયલ

જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસનો વિજય થયો છે,અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા વિરોધીઓના ટોળાએ પથ્થરમારો કરીને હુમલો કર્યો

New Update
  • જૂનાગઢ ન.પ.ના વોર્ડ 8માં કોંગ્રેસનો વિજય

  • વિજય સરઘસ પર વિરોધીઓનો પથ્થરમારો

  • પોલીસની હાજરીમાં હુમલો થયો હોવાનો આક્ષેપ

  • ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

  • મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા 

જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસનો વિજય થયો છે,અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા વિરોધીઓના ટોળાએ પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો.અને એક મહિલા પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.જેના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો,જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,જોકે આ સરઘસ દરમિયાન વિરોધીઓના ટોળા દ્વારા પથ્થરમારો કરીને હિચકારો હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.અને પોલીસ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.આ હુમલામાં એક મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કોંગ્રેસના કાર્યકર્તા અરમાન શેખે જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં જ વિરોધીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો,હાલ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે કોંગ્રેસના અશરફ થઇમ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ હુમલો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ