જુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન, લોકો સાથે તેમનું સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં PM મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યલય બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે, ત્યારે જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. અધ્યતન સુવિધાઓથી સજ્જ શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રતનાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જુનાગઢ પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે