જુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન બાદ સિંહની આંખમાં નેત્રમણી બેસાડી હોવાની આ ઘટના સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.

ગીરના જામવાળા જંગલ વિસ્તારના 5 વર્ષના એક સિંહને છેલ્લા કેટલાક સમયથી શિકાર કરવામાં તકલીફ પડતી હોવાનું ફિલ્ડ સ્ટાફે મોનીટરીંગ કર્યું હતું. બાદમાં આ સિંહને જામવાડા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો, અને ત્યાં જૂનાગઢ સક્કરબાગ ઝૂની વેટરનરી ટીમ તપાસ માટે પહોંચી હતી. સિંહને જોતા પ્રથમ દ્રષ્ટિએ ટીમને એવું લાગ્યું કે, આ સિંહની આંખમાં માત્ર 10% વિઝન છે, અને તેની સર્જરી કરવી પડશે. ત્યારબાદ સિંહને બન્ને આંખમાં મોતિયો હોવાનું પણ બહાર આવ્યું હતું. જે માટે સિંહની આંખની સારવાર માટે વેટરનરી ટીમે સર્ચ કરીને ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. સક્કરબાગ ઝૂના ડો. રિયાઝ કડીવાર સહિતની ટીમે લગભગ 1 કલાક સુધી આ સિંહની આંખનું ઓપરેશન કર્યું હતું. સિંહની આંખનું સફળ ઓપરેશન કરી તેની આંખમાં નેત્રમણી બેસાડી હોવાની આ ઘટના સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.