જુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન બાદ સિંહની આંખમાં નેત્રમણી બેસાડી હોવાની આ ઘટના સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.

ગીરના જામવાળા જંગલ વિસ્તારના 5 વર્ષના એક સિંહને છેલ્લા કેટલાક સમયથી શિકાર કરવામાં તકલીફ પડતી હોવાનું ફિલ્ડ સ્ટાફે મોનીટરીંગ કર્યું હતું. બાદમાં આ સિંહને જામવાડા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો, અને ત્યાં જૂનાગઢ સક્કરબાગ ઝૂની વેટરનરી ટીમ તપાસ માટે પહોંચી હતી. સિંહને જોતા પ્રથમ દ્રષ્ટિએ ટીમને એવું લાગ્યું કે, આ સિંહની આંખમાં માત્ર 10% વિઝન છે, અને તેની સર્જરી કરવી પડશે. ત્યારબાદ સિંહને બન્ને આંખમાં મોતિયો હોવાનું પણ બહાર આવ્યું હતું. જે માટે સિંહની આંખની સારવાર માટે વેટરનરી ટીમે સર્ચ કરીને ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. સક્કરબાગ ઝૂના ડો. રિયાઝ કડીવાર સહિતની ટીમે લગભગ 1 કલાક સુધી આ સિંહની આંખનું ઓપરેશન કર્યું હતું. સિંહની આંખનું સફળ ઓપરેશન કરી તેની આંખમાં નેત્રમણી બેસાડી હોવાની આ ઘટના સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

Latest Stories