જુનાગઢ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ શરૂ...

જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

New Update
જુનાગઢ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ શરૂ...

જુનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ગયા બાદ કંટાળીને એરપોર્ટ રોડ પર ધાર વિસ્તારમાં સિંધી મંદિર નજીક રહેતાં વિનોદ રોચીરામાણીએ રૂ. 12 લાખ વ્યાજે લીધા હતા, જ્યારે તેના વ્યાજની રકમ ચૂંકવી દીધી હોવા છતાં વધુ 1 લાખ 24 હજારની વ્યાજખોરો દ્વારા માંગણી કરવામાં આવતી હતી. જેથી તેઓએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવાની ગોળીઓ ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. કેશોદ શહેરમાં ભૂંગળા તૈયાર કરી વેચવાનો ગૃહઉદ્યોગ ચલાવતાં વિનોદ રોચીરામાણીને સૌપ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, ત્યારે સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં કેશોદ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે કેશોદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી બીજો ભોગ લેવાયો છે. જે દર્શાવે છે કે, સરકારના આ અભિયાનથી કોઈ ફાયદો થયો નથી.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.

Latest Stories