Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : શિવરાત્રીના મેળા પૂર્વે આવતા પ્રવાસીઓને “હાલાકી”, ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી

X

જુનાગઢ ખાતે શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઘણા પ્રવાસીઓ શિવરાત્રીના મેળા પહેલા જ ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી. જુનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓ ગિરનારની ચોટી પર માઁ અંબા અને દત્તાત્રેય ભગવાનના દર્શને જતા હોય છે,

ત્યારે ગિરનાર પર્વત પર જવા-આવવા માટે રોપ-વેની સેવાથી પ્રવાસીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે, રોપ-વે બનવાથી માઁ અંબાના દર્શન કરવા પણ સહેલું બનતા લોકો રોપ-વેને વધુ પ્રાધાન્ય આપતા થયા છે. રોજના હજારો પ્રવાસીઓ રોપ-વે દ્વારા માઁ આંબાના દર્શને જાય છે. માત્ર ગુજરાત કે, ભારતમાંથી જ નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી પણ સહેલાણીઓ જુનાગઢ આવતા હોય છે. તો બીજી તરફ, વારંવાર ખરાબ થતાં વાતાવરણના કારણે સંચાલકો દ્વારા રોપ-વે સેવા બંધ રાખવી પડી રહી છે. જેન લઈ ગિરનાર આવતા ઘણા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.

Next Story