Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું…

જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ ખાતે નિર્માણ પામેલ શ્રી ગિરનાર કમલમ કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપના આગેવાનોનો તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે મેરેથોન બેઠક યોજાય હતી. જેમાં પ્રથમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે તો ગાંધીનગર બેઠા હોઈએ, ક્યારેક કોઈ વાત અમારા સુધી ન પહોંચે તેવું બને. વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને PM તરીકે ત્રીજી વખત તક મળશે, તો દેશનું અર્થતંત્ર વધુ ગતિથી દોડતું થશે.

Next Story