-
કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં યોજાયો કાર્યક્રમ
-
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આયોજન
-
મનસુખ માંડવિયાના હસ્તે પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત
-
રૂ. 7 કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરાશે : કેન્દ્રિય મંત્રી
-
નદી વિસ્તારોમાં અવરોધો હટાવવા પ્રિ-મોન્સુન કામગીરી કરાશે
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા રૂ. 7 કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવનાર છે, ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઓઝત, ઉબેણ સહિત અનેક નદીઓ સાંકળી બનતાં ઠેર ઠેર ચોમાસાના પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. તેવામાં નદી વિસ્તારોમાં અનેક અવરોધ હટાવવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની શરૂઆત કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે, ઘેડ પંથકની તમામ નદીઓને ઉંડી અને પહોળી કરવા હવે પછી રૂ. 1400 કરોડના ખર્ચે 3 ફેઝમાં કામગીરી હાથ ધરાશે. લોકોની સુખાકારી માટે સરકાર હમેશા કટિબદ્ધ છે, ત્યારે પ્રિ-મોન્સુન કામગીરીથી અનેક લોકોને લાભ થશે તેવું પણ કેન્દ્રિય મંત્રીએ ઉમેર્યું હયું. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.