ખેડા : નડિયાદમાં લોકસભા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર અંતગર્ત બાઈક રેલી યોજાય

લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે,

New Update
ખેડા : નડિયાદમાં લોકસભા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર અંતગર્ત બાઈક રેલી યોજાય

લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર બુલેટ ગતિએ તેજ કર્યો છે. તેવામાં ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલી દરમ્યાન નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા. આ બાઈક રેલી નડિયાદ વિધાનસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલય વિકેવિ રોડ નડિયાદ મુકામેથી પ્રસ્થાન થઈ નક્કી કરેલા રૂટ પર અંદાજીત 6-7 કીમી ફરી પારસ સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતી સાથે જિતાડવા નગરજનોને અપીલ કરી હતી.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે