/connect-gujarat/media/post_banners/e8357477714949636c2a89bdb64d82122c436e0f682e286e836dc5bb95905d98.jpg)
ક્ચ્છના ગાંધીધામ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા
કચ્છમાં પ્રથમ વખત આયોજિત આ હનુમાન કથાનો લાભ હજ્જારો ભાવિકોએ લીધો હતો. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે કથાનું કામ પરમાત્મા સુધી પહોંચાડવાનું છે .ભગવાન ઉપર ભરોસો રાખો હમેશા સારું જ થશે, અમે કોઈ ચમત્કાર બતાવતા નથી, પ્રશ્ન એવા કરો કે જેનું નિરાકરણ હોય ,હું માત્ર લોકોને રસ્તો આપું છું, કેમ જવું તે તમારા ઉપર છે ,આ સતયુગનો દિવ્ય દરબાર છે ,આ મંત્ર વિજ્ઞાન છે મારી સામે દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ સામનો કરી શકે તેમ નથી, ગુજરાતના પાગલો તમારા સંકટ હનુમાનજી દૂર કરશે.તમે વિશ્વાસ રાખજો બધું સારું જ થશે.કચ્છમાં આવીને મને ખુબજ આનંદ થયો છે.દિવ્ય દરબારમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી,બ્રહ્મચારી પ્રકાશ આનંદ મહારાજ,યોગી દેવનાથબાપુ,ર્ડો. નિમાબેન,ધવલ આચાર્ય,સુરેશ ગુપ્તા,મુકેશ ગુપ્તા,મોમાયાભા ગઢવી,રાજભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા