કચ્છ : રાપરની સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા...

કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેક ધાન ઉત્પાદકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

New Update

ધનતેરસના દિવસે જ ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા

રાપરની સહકારી મંડળીમાં ફરી ખાતરની અછત સર્જાય

ખાતરની અછતના કારણે અનેક ખેડૂતો હલાકીમાં મુકાયા

ખેડૂતોએ હોબાળો મચાવતા ખાતર વિતરણ અટકી પડ્યું

ખાતરની અછત પ્રત્યે યોગ્ય નિવારણ લવાય તે જરૂરી

કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેકધાન ઉત્પાદકોહેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કુલ 18 સહકારી મંડળી મારફતે ખાતર વિતરણ થાય છેઅને ત્યારબાદ બાકી રહેતા ખેડૂતો રાપર સહકારી મંડળી ખાતેથી ખાતર મેળવતા હોય છે. પરંતુ અહીં અપૂરતો જથ્થો મળતો હોવાથી હવે ખાતર વિહોણા ખેડૂતો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે. તેવામાં આજે ધનતેરસના દિવસે જ ધાન ઉત્પાદકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ડીએપી ખાતર મેળવવા ખેડૂત ભાઇ-બહેનો વહેલી સવારથી કતારોમાં ગોઠવાયા હતા. જોકેખાતર મેળવવા પડાપડી થતાં પોલીસ બોલાવવી પડી હતીઅને પરિસ્થિતિ કાબુ બહાર જતા ખાતર વિતરણ પણ અટકી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફઆ અંગે વાગડ સેવા સહકારી મંડળીના મેનેજરે ખાતરની તંગી હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કેખેડૂતોને શિયાળુ વાવેતર માટે એક માસનો સમય મળતો હોય છેત્યારે સ્વાભાવિક ખાતરની માંગ રહેવાની છેત્યારે અત્યાર સુધી માત્ર 30 ટકા જેટલો કુલ જથ્થો જ મળવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ સ્થિતિમાં ખાતર વિતરણ કરવું પણ અશક્ય બની ગયું છેત્યારે ખાતરની અછત પ્રત્યે જવાબદારો દ્વારા યોગ્ય નિવારણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.