કચ્છ : ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં નિર્માણ પામી રહ્યું છે "સ્મૃતિવન" મેમોરિયલ પાર્ક

ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં મેમોરિયલ પાર્કનું નિર્માણ, છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં.

New Update
કચ્છ : ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં નિર્માણ પામી રહ્યું છે "સ્મૃતિવન" મેમોરિયલ પાર્ક

કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની સ્મૃતિમાં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવાઈ રહ્યો છે. 8 વર્ષથી ચાલી રહેલ આ નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે આગામી 8 મહિનામાં આ સ્મૃતિવન લોકો માટે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

Advertisment

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની આત્માને શાંતિ મળે અને તેઓની યાદમાં મેમોરિયલ બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. અહીં ચેકડેમ, સનસેટ પોઇન્ટ, વોક-વે, મ્યુઝિયમ, વૃક્ષારોપણ, સોલાર પ્રોજેક્ટ, ગેટ, એલઇડી લાઈટ, પાર્કિગ અને રોડ-રસ્તા સહિતના વિકાસકામો પૂર્ણ થઈ ચૂક્યા છે.

ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં મેમોરિયલ પાર્કનું નિર્માણ

છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ નિર્માણકાર્ય અંતિમ તબક્કામાંજોકે, એક માત્ર મ્યુઝિયમનું કામ હવે બાકી રહ્યું છે, ત્યારે આ મ્યુઝિયમમાં ભૂકંપની ઝણઝણાહટી લોકો મહેસુસ કરી શકશે, ઉપરાંત ભૂકંપની ગોજારી તસવીરો, સેવાકીય કામગીરીનો ચિતાર પણ રજૂ કરાશે. આ મ્યુઝિયમનું કામ હવે 8 મહિનામાં પૂર્ણ થાય તેવી ડેડલાઇન આપવામાં આવી છે, ત્યારે કચ્છના લોકો ભારે આતુરતાથી સ્મૃતીવન ખુલ્લું મુકાય તેની રાહ જોઇ રહ્યા છે. 

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં
Latest Stories