કચ્છ : માધાપર જુનાવાસમાં પંચાયતની ભૂલનો ભોગ ગ્રામજનો બન્યા,સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટ છવાયો

કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતે પીજીવીસીએલનું લાઈટ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવી છે.

New Update
  • માધાપર જુનાવાસમાં સ્ટ્રીટ લાઈટો થઈ બંધ

  • જુના સરપંચની ભૂલને કારણે ગ્રામજનોને હલકી

  • પંચાયતનું વીજબિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઈટો થઈ બંધ

  • પંચાયતનું રૂ.55 લાખનું વીજબિલ બાકી

  • રૂ.10 લાખનું ચુકવણું થતા તંત્ર દ્વારા હૈયાધારણા અપાઈ

Advertisment
કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતે પીજીવીસીએલનું લાઈટ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવી છે.જેને લઈને સ્થાનિકોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે.40 હજાર લોકો પંચાયતની ભૂલના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં છેલ્લા પાંચ  દિવસથી પીજીવીસીએલ દ્વારા તમામ સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેવામાં આવી છે.તેનું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે જુનાવાસ પંચાયતનું 84 લાખ રૂપિયાનું બિલ બાકી છે.રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે આ મુદ્દે સંબંધિત તંત્રને મૌખિક રજુઆતમાં જણાવ્યું હતુ કે તેઓ જુનાવાસ માધાપરના રહેવાસી છે.છેલ્લા દસ વર્ષ થયા બિલ પંચાયત દ્વારા ભરાતું નથી અને અત્યાર સુધીમાં ત્રણ વખત જુનાવાસના સરપંચ બદલાઈ ચૂકયા છે.હાલના જે સરપંચ છે તેમણે 2022માં સીટ સંભાળી હતી.તે સરપંચે જૂનું અને નવું વીજળીનું બિલ કટકે કટકે થી 20 લાખ રૂપિયા ભરી દીધા હતા.જૂની ચડત રકમ 54 લાખ હતી.29 લાખ વ્યાજ લગાવવામાં આવ્યુ છે.એમ મળીને કુલ 84 લાખ રૂપિયા બાકી છે. હાલના સરપંચ વ્યવસ્થા મુજબ  થોડા થોડા રૂપિયા પીજીવીસીએલ કંપનીમાં જમા કરાવે છે. પરંતુ જૂના બે સરપંચના કારણે આટલું મોટું બિલ ચૂકવવાનું બાકી રહી ગયું છે.2016થી વીજળીનું બિલ ચડત છે.બિલ દર વર્ષે જે તે પંચાયતના જવાબદાર સરપંચ 2016 થી 2022 સુધીના સરપંચોએ વીજળી બિલ ભરવાની તકેદારી રાખી હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થઈ હોત.
આ બાબતે જુનાવાસના સરપંચ ગંગા નારણભાઈ મહેશ્વરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે અગાઉના સરપંચની ભૂલના કારણે રકમમાં વધારો થયો છે.આજે રૂપિયા 10 લાખની ભરપાઈ કરી આપી છે,ત્યારે પીજીવીસીએલના અધિકારીએ કેટલીક જગ્યાએ લાઈટ ચાલુ કરશે તેમ જણાવતા તેઓએ ભુજના ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતુ. અંતે આજે સાંજે પીજીવીસીલ દ્વારા લાઈટ ચાલુ કરવાની હૈયા ધારણા આપી હતી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોપેડ સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.14 લાખની ચોરીનો પણ ભેદ ઉકેલાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરી થયેલ એક્ટીવા

New Update
Screenshot_2025-05-31-09-01-46-44_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરી થયેલ એક્ટીવા GJ-16-EC-7315 લઇને એક ઇસમ રાજપીપળા ચોકડી આજુબાજુ ફરે છે જેના આધારે આરોપી શિવા મુર્થી ચોટીનાયક ઉ.વ. ૩૦ હાલ રહે, પીપોદરા તા-માંગરોળ જી-સુરતની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
Advertisment
આરોપી તથા તેના સાગરીતોએ પીપોદરા નજીક પંક્ચર કરાવી રહેલ કારચાલકની કારમાંથી રૂ. 14 લાખ ભરેલ બેગની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.પોલીસે આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ મામલામાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Advertisment