કચ્છ : માધાપર જુનાવાસમાં પંચાયતની ભૂલનો ભોગ ગ્રામજનો બન્યા,સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટ છવાયો

કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતે પીજીવીસીએલનું લાઈટ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવી છે.

New Update
  • માધાપર જુનાવાસમાં સ્ટ્રીટ લાઈટો થઈ બંધ

  • જુના સરપંચની ભૂલને કારણે ગ્રામજનોને હલકી

  • પંચાયતનું વીજબિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઈટો થઈ બંધ

  • પંચાયતનું રૂ.55 લાખનું વીજબિલ બાકી

  • રૂ.10 લાખનું ચુકવણું થતા તંત્ર દ્વારા હૈયાધારણા અપાઈ

કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતે પીજીવીસીએલનું લાઈટ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવી છે.જેને લઈને સ્થાનિકોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે.40 હજાર લોકો પંચાયતની ભૂલના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં છેલ્લા પાંચ  દિવસથી પીજીવીસીએલ દ્વારા તમામ સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેવામાં આવી છે.તેનું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે જુનાવાસ પંચાયતનું 84 લાખ રૂપિયાનું બિલ બાકી છે.રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે આ મુદ્દે સંબંધિત તંત્રને મૌખિક રજુઆતમાં જણાવ્યું હતુ કે તેઓ જુનાવાસ માધાપરના રહેવાસી છે.છેલ્લા દસ વર્ષ થયા બિલ પંચાયત દ્વારા ભરાતું નથી અને અત્યાર સુધીમાં ત્રણ વખત જુનાવાસના સરપંચ બદલાઈ ચૂકયા છે.હાલના જે સરપંચ છે તેમણે 2022માં સીટ સંભાળી હતી.તે સરપંચે જૂનું અને નવું વીજળીનું બિલ કટકે કટકે થી 20 લાખ રૂપિયા ભરી દીધા હતા.જૂની ચડત રકમ 54 લાખ હતી.29 લાખ વ્યાજ લગાવવામાં આવ્યુ છે.એમ મળીને કુલ 84 લાખ રૂપિયા બાકી છે. હાલના સરપંચ વ્યવસ્થા મુજબ  થોડા થોડા રૂપિયા પીજીવીસીએલ કંપનીમાં જમા કરાવે છે. પરંતુ જૂના બે સરપંચના કારણે આટલું મોટું બિલ ચૂકવવાનું બાકી રહી ગયું છે.2016થી વીજળીનું બિલ ચડત છે.બિલ દર વર્ષે જે તે પંચાયતના જવાબદાર સરપંચ 2016 થી 2022 સુધીના સરપંચોએ વીજળી બિલ ભરવાની તકેદારી રાખી હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થઈ હોત.
આ બાબતે જુનાવાસના સરપંચ ગંગા નારણભાઈ મહેશ્વરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે અગાઉના સરપંચની ભૂલના કારણે રકમમાં વધારો થયો છે.આજે રૂપિયા 10 લાખની ભરપાઈ કરી આપી છે,ત્યારે પીજીવીસીએલના અધિકારીએ કેટલીક જગ્યાએ લાઈટ ચાલુ કરશે તેમ જણાવતા તેઓએ ભુજના ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતુ. અંતે આજે સાંજે પીજીવીસીલ દ્વારા લાઈટ ચાલુ કરવાની હૈયા ધારણા આપી હતી.
Read the Next Article

વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

New Update
1749726703_new-project-8

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત મુજબ, આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

 

આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16 જૂન, 2025 - સોમવાર):

  • સવારે 11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે 11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
  • સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે 12:30 વાગ્યે: અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
  • બપોરે 12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે 2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે 2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે 4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે 5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે 6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રાર્થના સભાઓનું આયોજન:

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:

રાજકોટમાં પ્રાર્થના સભા

    • તારીખ: 17 જૂન, 2025, મંગળવાર
    • સમય: સાંજે 3:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ

ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા

      • તારીખ: 19 જૂન, 2025, ગુરુવાર
      • સમય: સવારે 9:00 થી 12:00 વાગ્યે
      • સ્થળ: હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર

ભાજપ, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા

    • તારીખ: 20 જૂન, 2025, શુક્રવાર
    • સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: કમલમ, કોબા, ગાંધીનગર