કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજા

જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અહી ભરાતો ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

New Update
કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજા

કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજા

કચ્છની 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર નાગ પંચમીના દિવસે ભુજીયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજાવિધિ કચ્છરાજના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અહી ભરાતો ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજાનાગ પંચમીની પૂજાવીધીના ઇતિહાસની વાત કરીએ તો, ક્ચ્છ પર અવાર-નવાર વિદેશી આક્રમણો થતા હતા, ત્યારે ક્ચ્છરાજના રાવ દેશળજીએ ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજીયા ડુંગર બનાવ્યો હતો. વર્ષો અગાઉ ક્ચ્છ પર અમદાવાદના શેર બુલંદખાને 50 હજારના લશ્કર બળ સાથે ચઢાઈ કરી હતી, ત્યારે રાજા, સેનાપતિ, લશ્કર, કચ્છની જનતાએ અને 9 હજાર નાગા બાવાઓએ ભેગા મળી તેની સામે લડત આપી હતી. આ લડાઈમાં શેર બુલંદખાનને હરાવી ક્ચ્છએ જીત મેળવી હતી. તે દિવસ એટલે આજનો નાગ પંચમીનો દિવસ... બસ ત્યારથી જ દર વર્ષે રાજ પરંપરા અનુસાર પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવે છે. કચ્છના અંતિમ રાજવી સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના આદેશ અનુસાર, નાગ પંચમીના દિવસે રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા દ્વારા પૂજાવીધી કરવામાં આવી હતી. દરબારગઢમાં પૂજા કર્યા બાદ ડુંગરે ભુજંગદેવના મંદિરે પૂજા કરાઈ હતી. ભુજીયા ડુંગર પર દાદાના મંદિરે જવા 400 જેટલા પગથિયાં ચઢીને લોકો દર્શનાર્થે જાય છે. અહીંથી સમગ્ર ભુજનું અવકાશી અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે, ત્યારે આજે નાગ પંચમીની વહેલી સવારથી ભુજ તેમજ આસપાસના લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories