મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.

New Update
મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. આ સાથે જળ પ્રદૂષણ પણ અટકે તે માટે લોકોને ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવા અપીલ કરી છે.

આપણે જોઈએ છીએ કે, દર વર્ષે લોકો ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઊજવે છે. જોકે, પ્રતિબંધ હોવા છતાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. જે વિસર્જન બાદ પાણીમાં ઓગળતી નથી, અને પાણીમાં પ્રદૂષણ વધારે છે. પાણી પ્રદૂષિત થતાં કેટલાય જળચર જીવો મૃત્યુ પામે છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના 18 વર્ષીય યુવાન જય પગીએ માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. જય પગી માટીકામ અને કલાકારીનો શોખ ધરાવે છે. તેને ચિત્રકલા અને માટીની મૂર્તિઓ બનાવવાનો ઘણો શોખ છે. કહેવાય છે ને કે "કમળ તો કાદવમાં ખીલે" એમ જય પગી એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. માતાપિતાએ પણ કાળી મજૂરી કરી પોતાના દીકરાને ભણાવી ગણાવી બી.કોમનો અભ્યાસ કરાવ્યો છે.

જોકે, નાનપણથી જ ગજાનન શ્રી ગણેશમાં અપાર શ્રધ્ધા ધરાવતો જય પગી હવે "પર્યાવરણ બચાવો, પ્રદૂષણ અટકાવો"ના સૂત્રને સાકાર કરવા પોતાની કલાનો ઉપયોગ કરી રહ્યો છે. આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખી જય પગીએ અત્યારસુધીમાં માટીમાંથી 15થી 20 જેટલી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. જોકે, હવે રાજ્ય સરકાર દ્વારા માટીકામ કરતાં કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી બન્યું છે. તો બીજી તરફ પીઓપીની પ્રતિમાના કારણે પાણીમાં થતું પ્રદૂષણ અટકે તેવા શુભ આશય સાથે જય પગીએ લોકોને ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવા અપીલ કરી છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.

Latest Stories