મહીસાગર : ભાદર ડેમના ગેટની પ્રોટેક્સન વોલ થઈ ધરાશાયી, વિડિયો જોતાં જ લોકોમાં ફફડાટ...

મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી.

New Update
મહીસાગર : ભાદર ડેમના ગેટની પ્રોટેક્સન વોલ થઈ ધરાશાયી, વિડિયો જોતાં જ લોકોમાં ફફડાટ...

મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી. જોત જોતામાં દીવાલનો એક ભાગ ધડામ દઈને નદીમાં પડી ગયો હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફ, ડેમની પ્રોટેક્ટ્સ વોલ તૂટતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisment

મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલ ભાદર ડેમમાં અત્યારે 45થી 50 ટકા જેટલો પાણીનો સંગ્રહિત જથ્થો છે. ભાદર ડેમ ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના ગામોમાં પિયત માટે પાણી પૂરું પાડે છે. જોકે, ભાદર ડેમના ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોત જોતામાં દિવલનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં પડ્યો હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, ત્યારે આ મામલે ભાદર ડેમના અધિકારીએ જણાવ્યુ હતું કે, ડેમની પાળ નથી તૂટી. ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારે ડેમની પાળને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ડેટની બાજુમાં બનાવેલી પ્રોટેક્સન દીવાલ તૂટી છે. જેથી ડેમને કોઈ નુકસાન પહોંચે તેમ નથી. આ અંગે કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓએ સ્થળ તપાસ કરી લોકોને ખોટી અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી હતી.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment