મેઘરાજાનું રોંદ્ર સ્વરૂપ : જુનાગઢમાં પાણી ફરી વળતાં અનેક માર્ગ બંધ, સંપર્ક વિહોણા 22 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર પણ ઓવરફ્લો થયું

New Update
  • સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ

  • જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું રોંદ્ર સ્વરૂપ જોવા મળ્યું

  • ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગ બંધ કરાયા

  • અનેક વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકીનો સામનો

  • વરસાદી પાણીમાં ફસાયેલા 22 લોકોનું NDRFએ રેસ્ક્યુ કર્યું 

હવામાન વિભાગની આગાહી અનુસારસૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મંડાણ કર્યા છેત્યારે જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું રોંદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.

રાજ્યમાં એકસાથે વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતા દરિયાઈ પટ્ટી વિસ્તારના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છેત્યારે જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર પણ ઓવરફ્લો થયું છે. નરસિંહ સરોવરનું પાણી ઝાંઝર રોડ પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો. અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ તરફકેશોદના ઉપરવાસમાં વરસાદના કારણે માંગરોળના વલ્લભગઢ પાસે રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોકેમાંગરોળ-કેશોદ રસ્તો બંધ થતાં વાહન વ્યવહારને અસર પહોચી છે. ખાસ કરી નાના વાહન ચાલકો અને મુસાફરોએ સાવચેતી રાખવી જરૂરી છે. કેશોદના મુખ્ય માર્ગ એવા માનખેત્રા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. તો બીજી તરફકેશોદના ગ્રામ્ય વિસ્તારનું પાણી પણ કેશોદ શહેરમાં પહોચ્યું છેજ્યારે કેશોદ તાલુકાના મગરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણા બન્યા છેત્યારે મગરવાડા સીમ વિસ્તારમાં 22 લોકો વરસાદી પાણીમાં ફસાયાં હતા. જેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભારે વરસાદને કારણે RNB વિભાગના 9 અને પંચાયતના વિભાગના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તા પર લોકો અવરજવર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. એસટી. વિભાગને પણ આ રસ્તાઓ પર વાહન વ્યવહાર ન કરવા સૂચના આપવામાં આવી છેજેના કારણે 6 જેટલા એસટી. રૂટ પણ બંધ થયા છે. જુનાગઢ જીલ્લામાં જે ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોના 52 ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

Latest Stories