નર્મદામાં ભીલ પ્રદેશ બનાવવા માટેનું MLA ચૈતર વસાવાએ કર્યો હુંકાર

નર્મદા જિલ્લામાં આયોજિત આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજ્યંતિ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાનો હૂંકાર કર્યો હતો.

New Update
a

નર્મદા જિલ્લામાં આયોજિત આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજ્યંતિ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાનો હૂંકાર કર્યો હતો.

Advertisment

આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે,આ પ્રસંગે નર્મદા જિલ્લામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની  સંગઠનની જાહેરાત કરી હતી.આ ઉપરાંત આવનારા સમયમાં દેશનું અલગ 29 મુ રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરવાનો હૂંકાર કર્યો હતો.ગુજરાતમહારાષ્ટ્રમધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત વિશાળ સંગઠન બનાવવામાં આવશે અને ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવી અને કેવડિયાને તેની રાજધાની બનાવવાનો હુંકાર ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો.

Advertisment
Latest Stories