ડેડિયાપાડામાં ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યએ કર્યો ભષ્ટાચારનો આક્ષેપ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને 100 ઈ-રિક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ  પણ વિરોધ નોંધાવ્યો

New Update
  • સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં હોબાળો

  • ડેડિયાપાડામાં યોજાયો હતો કાર્યક્રમ

  • ઈ-રિક્ષા વિતરણમાં કરાયો ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • ભાજપ સાંસદ અને આપના MLAએ નોંધાવ્યો વિરોધ

  • ઈ-રિક્ષા ખરીદીમાં કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  • ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમ કરાયો મોકૂફ      

નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને 100 ઈ-રિક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો છે. બંને નેતાઓ ઈ-રિક્ષાનું વિતરણ કર્યા વગર જ પરત જતા રહ્યા હતા.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર રહ્યા હતા. પરંતુ આ ઇ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો,કારણ કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા,જેના કારણે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનાં વિરોધમાં સાંસદ મનસુખ વસાવાએ ઈ-રિક્ષા કે જે એક વર્ષ પણ ન ચાલે અને જેનું રૂપિયા 3 લાખ 10 હજારનું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષાની જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે.ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જોઈએ તો 1થી 1.50 લાખ રૂપિયામાં ઈ- રિક્ષા આવે પણ એજન્સીએ રૂપિયા 3 લાખ 10 હજારનું બિલ મૂકતા સીધા એક લાખથી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે. આદિવાસીઓના નામે 100 ઈ-રિક્ષા આપવામાં આવી છે. આ નાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.