નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1 મીટર દૂર, ડેમમાં 75હજાર ક્યુસેક પાણીની આવક

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો.

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

ડેમ મહત્તમ સપાટીથી 1 મીટર દૂર

ડેમની જળ સપાટી 137.67 મીટરે પહોંચી

ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક

74 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે નદીમાં

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1 મીટર દૂર છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે ડેમના ઉપરવાસમાંથી 75,438 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની જળ સપાટી 137.67 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.2 મીટર જ દૂર છે. આ તરફ નર્મદા ડેમમાંથી નદીમાં 74,930 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે .નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે.તો આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 10.49 ફૂટની સામાન્ય સપાટીએ સ્થિર થઈ છે.
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.