નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1 મીટર દૂર, ડેમમાં 75હજાર ક્યુસેક પાણીની આવક

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો.

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

ડેમ મહત્તમ સપાટીથી 1 મીટર દૂર

ડેમની જળ સપાટી 137.67 મીટરે પહોંચી

ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક

74 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે નદીમાં

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1 મીટર દૂર છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે ડેમના ઉપરવાસમાંથી 75,438 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની જળ સપાટી 137.67 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.2 મીટર જ દૂર છે. આ તરફ નર્મદા ડેમમાંથી નદીમાં 74,930 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે .નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે.તો આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 10.49 ફૂટની સામાન્ય સપાટીએ સ્થિર થઈ છે.
Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.