નર્મદા : ભારતમાં કોરોનાથી મૃત્યુના WHOએ જાહેર કરેલા આંકડા મુદ્દે આરોગ્ય ચિંતન શિબિરમાં ચર્ચા...

ટેન્ટસિટી ખાતે ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિર યોજાય રોગ્યલક્ષી સેવાનો કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ ચિતાર આપ્યો

New Update
નર્મદા : ભારતમાં કોરોનાથી મૃત્યુના WHOએ જાહેર કરેલા આંકડા મુદ્દે આરોગ્ય ચિંતન શિબિરમાં ચર્ચા...

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટેન્ટસિટી ખાતે ચાલી રહેલી ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોરોનાના કારણે ભારતમાં 5.24 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો WHOના નિવેદન મામલે થયેલા વિવાદ પર કોન્ફરન્સ દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં સૌના સ્વાગત, પરિચય વિધિ બાદ જુદા જુદા રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીના પ્રેઝન્ટેશન ૨જૂ થયા હતા. ગતરોજ દ્વિતીય દિવસે બેઠક દરમ્યાન એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં WHOએ ભારત પર મૃત્યુના આંકડા બાબતે આ ઠરાવ પસાર કર્યો છે. ભારતના દરેક રાજ્યોમાં જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવે છે, અને 99.99 ટકા ચોકસાઈ રાખવામાં આવે છે.

ઉપરાંત WHOએ ભારતમાં કોરોનાના કારણે 47 લાખ લોકોના મોત થયા હોવાના જે આંકડા જાહેર કર્યા છે. જેની સામે ભારત સરકારે 5.24 લાખ લોકોના કોરોનાનાં કારણે મૃત્યુ થયા હોવાના આંકડા જાહેર કર્યા હતા. આ બાબતને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કેવડિયા ખાતે આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સ્વાસ્થ્ય મંત્રીઓએ આ મુદ્દા લઈને ચર્ચાઓ કરી હતી.

Read the Next Article

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું

New Update
Visavar by election

જૂનાગઢ જિલ્લાની વિસાવદર તેમજ મેહસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું હતું.એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતાજોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યો હતો.

પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયાજેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આજરોજ યોજાયેલા વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં વિસાવદરમાં 54.61 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું,અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે 6 કલાક દરમિયાન 60 ટકા જેટલું મતદાન નોંધાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને ભાજપ,કોંગ્રેસ તેમજ આપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.

Latest Stories