નર્મદા: કેવડીયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત

કેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ,સી.એમ.વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત.

New Update
નર્મદા: કેવડીયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત

કેવડીયા કોલોની ટેન્ટ સિટી ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને સી.એમ.વિજય રૂપાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સીઆર પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલાં વિવિધ વિકાસકામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્ત્વના કાર્યકરને ટેબ્લેટ અપાયાં હતાં. આ ટેબ્લેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment