નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી નર્મદા આરતી, દીપોત્સવ સહિત રીવર મશાલના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હાથ ધરાયેલ પંચ દિવસીય નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા જીલ્લામાં મા નર્મદા નદીના સાનિધ્યમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢીઓને પણ તેનો લાભ મળે તે માટે તમામ નદીઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સાથે નદીઓની સ્વચ્છતા જાળવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. નદીઓ થકી જ અનેક સજીવ સૃષ્ટિનુ નિર્માણ થયું હોવાની સાથે પર્યાવરણ નહીં રહે તો મનુષ્યનું અસ્તિત્વ પણ ખૂબ જ મુશ્કેલીવાળું બની જશે. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે, ત્યારે અનેક ગામડા અને શહેરો નદી કિનારે વસતા હોવાથી પીવાનું શુદ્ધ પાણી આપવાની સાથે લોકોને સ્વરોજગારી પણ નદીએ આપી હોવાનું રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.