નર્મદા : વિજયસિંહ મહારાજની 135મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળાને હેરિટેજ દરજ્જાની માંગણી કરતો રાજવી પરિવાર

રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

New Update
  • વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ 

  • રાજવી પરિવાર દ્વારા કરાઈ ઉજવણી

  • ઇન્ટેક પરિવાર દ્વારા આ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

  • મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ

  • રાજપીપળાને હેરિટેજનો દરજ્જો આપવા માટે કરાઈ માંગ

Advertisment

આજે 30મી જાન્યુઆરી રજવાડી રિયાસત રાજવી નગરી રાજપીપળાનાં પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ છે.ત્યારે આ પ્રસંગની ઉજવણીના અવસરે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

રાજપીપળા શહેરમાં રાજવી પરિવારનાં મહેલ અને વિસ્તાર આજે પણ હયાત છે ત્યારે તેની યોગ્ય જાળવણી ન થતી હોય એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગણી કરવામાં આવી છે. 

હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાનાં નર્મદા ચેપ્ટર કન્વીનર યુવરાજ  માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજપીપળાનાં પ્રવેશદ્વાર વિજય ચોક તેમજ હરસિદ્ધિ માતા મંદિર પટાંગણમાં આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ 1023માં આ મંદિર બંધાવ્યું હતું  ત્યાં વૃક્ષારોપણ કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાનાં પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતોહેરિટેજ બિલ્ડીંગઉપરાંત શાળા,કોલેજ હોસ્પિટલમંદિરો,બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment