નર્મદા : વિજયસિંહ મહારાજની 135મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળાને હેરિટેજ દરજ્જાની માંગણી કરતો રાજવી પરિવાર

રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

New Update
  • વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ 

  • રાજવી પરિવાર દ્વારા કરાઈ ઉજવણી

  • ઇન્ટેક પરિવાર દ્વારા આ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

  • મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ

  • રાજપીપળાને હેરિટેજનો દરજ્જો આપવા માટે કરાઈ માંગ

આજે 30મી જાન્યુઆરી રજવાડી રિયાસત રાજવી નગરી રાજપીપળાનાં પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ છે.ત્યારે આ પ્રસંગની ઉજવણીના અવસરે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

રાજપીપળા શહેરમાં રાજવી પરિવારનાં મહેલ અને વિસ્તાર આજે પણ હયાત છે ત્યારે તેની યોગ્ય જાળવણી ન થતી હોય એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગણી કરવામાં આવી છે. 

હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાનાં નર્મદા ચેપ્ટર કન્વીનર યુવરાજ  માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજપીપળાનાં પ્રવેશદ્વાર વિજય ચોક તેમજ હરસિદ્ધિ માતા મંદિર પટાંગણમાં આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ 1023માં આ મંદિર બંધાવ્યું હતું  ત્યાં વૃક્ષારોપણ કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાનાં પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતોહેરિટેજ બિલ્ડીંગઉપરાંત શાળા,કોલેજ હોસ્પિટલમંદિરો,બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું.

Read the Next Article

મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠ્યો સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ, ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મિત્રોના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

New Update
gxbgj

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

મળતી માહિતી અનુસારસુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા રોડ પર દુધરેજ ફાટક નજીક IOC પમ્પિંગ સ્ટેશન પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં ત્રણેય મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં દિવ્યાંશ અશોક પરમારઇમરાન રમઝાન મોવર અને અફઝલ યુનુસ સિપાઈ નામના ત્રણેય મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતાત્યારે સામેથી માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

જોકેપોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફએક સાથે ત્રણેય યુવકોએ જીવ ગુમાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.