Connect Gujarat
ગુજરાત

નર્મદા : ચૂંટણી ટાણે અશક્ય લોભામણી વાતો કરનારને ગુજરાતની પ્રજા નહીં સ્વીકારે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું.

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી.

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવજીનું પૂજન-અર્ચન કરવાનો અનેરો મહિમા હોય છે, ત્યારે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહાદેવને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આમ આદમી પાર્ટીને આડે હાથ લઈ આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, માત્ર ચૂંટણી ટાણે અશક્ય લોભામણી વાતો કરનારનો ગુજરાતની પ્રજા સ્વીકાર નહીં કરે. જેની સામે ભારતીય જનતા પાર્ટી નક્કર વચનો આપીણે તેને પૂર્ણ કરે છે. પ્રજાના આર્શીવાદથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું.

Next Story