Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યુ હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી ખુબ જ ગર્વ મહેસુસ થાય છે.

X

કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે તેઓએ જણાવ્યુ હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી ખુબ જ ગર્વ મહેસુસ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના લઘુ ઉદ્યોગના કેબિનેટ મંત્રી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવ્યા હતા.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ખુબ જ ગર્વ થાય છે કે સરદાર પટેલની આ પ્રતિમાની ઊંચાઈ દુનિયામાં સૌથી ઊંચી છે. આ સ્ટેચ્યુ દૂર થી પણ દેખાઈ છે. ગુજરાતમાં જે બેરોજગાર લોકો છે તેમને નોકરીઓ મળશે જેથી દેશમાંથી બેરોજગારી પણ દૂર થઈ જશે.ગુજરાત અને દેશનો વિકાસ પણ થશે.ગુજરાતમાંથી બેરોજગારી પણ દૂર થશે તે પ્રમાણે નું પરિવર્તન આ કોર બોર્ડ કરવા જેઇ રહ્યું છે .ગુજરાતી લોકો મુંબઈમાં દેખાય છે મરાઠી લોકો ગુજરાતમાં હોય છે તે ખુબ સારી વાત છે અને ભારત દેશ એક છે અને એમાં એકતા છે તેનું આ પ્રતીક છે

Next Story