નર્મદા: કેવડીયા ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update
નર્મદા: કેવડીયા ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો'ના થીમ આધારિત વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે. નવ દિવસીય મોન્સૂન ફેસ્ટિવલમાં અનેકવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ લીલા આધારિત ભજનો અને ગરબાની રજુઆત કરવામાં આવી હતી જેમાં પ્રવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લિન થયા હતા સાથે સમગ્ર દિવસભર અનેક રસપ્રદ એક્ટિવિટી પણ યોજાઈ હતી

Read the Next Article

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું

New Update
Visavar by election

જૂનાગઢ જિલ્લાની વિસાવદર તેમજ મેહસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું હતું.એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતાજોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યો હતો.

પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયાજેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આજરોજ યોજાયેલા વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં વિસાવદરમાં 54.61 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું,અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે 6 કલાક દરમિયાન 60 ટકા જેટલું મતદાન નોંધાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને ભાજપ,કોંગ્રેસ તેમજ આપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.

Latest Stories