ગરબા ખેલૈયા આનંદો,નવરાત્રીમાં સમયની પાબંધી હવે નહીં નડે, ગૃહમંત્રીએ જાહેર કર્યું નિવેદન

ગુજરાતમાં હવે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

New Update

નવરાત્રી મહોત્સવને લઈને ગૃહમંત્રીનું નિવેદન

હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે જણાવી ખુશીની વાત 

નવરાત્રી ઉત્સવ દરમિયાન સમયની પાબંધી હવે નહીં નડે 

આખી રાત જામશે ગરબાની રમઝટ 

હર્ષ સંઘવીએ X પર વિડીયો અપલોડ કરીને આપી માહિતી 

ગુજરાતમાં હવે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે.

ગુજરાતમાં નવરાત્રી મહોત્સવનો થનગનાટ જોવા મળી રહ્યો છે,ત્યારે ગરબા ખેલૈયાઓ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરતા કહ્યું કે,નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ માઁ  અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રી રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવે છે.આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કેરાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેમની ચિંતા કરવામાં આવે.'

હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રીની શુભકામના આપતા કહ્યું કેસૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કેઆપણા ડીજેસાઉન્ડબેન્ડ આપણાં જ આજુબાજુના રહેતાં લોકોહોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.