નવસારી : કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું, અવનવી કેરી બની આકર્ષણનું કેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

New Update
  • નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયું અનોખું પ્રદર્શન

  • કેરીની દુર્લભ જાત માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું

  • 125 પ્રકારની કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી

  • કેરી સ્પર્ધા અને પ્રદર્શન લોકોમાં જમાવ્યું આકર્ષણ

  • સ્પર્ધામાં વિજેતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા 

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

વિશ્વ આખા પર ગ્લોબલ વોર્મિંગે ચિંતાનું આવરણ સર્જી દીધું છે.બદલાયેલા ઋતુચક્રએ  ખેતીના વ્યવસાય માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી દીધી છે.જેની સીધી અસર ખેતપેદાશ પર જોવા મળી રહી છે. હાલમાં ઉનાળામાં કેરીની સીઝન જોરમાં હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાનો પાક પણ બચી શક્યો નથી.ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી શકે અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન આપી શકે એવી કેરીની જાતને ખેડૂત અપનાવે એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરીની સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કુલ 125 પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સ્થાનિક 70 કેરી અને વિદેશી બ્રાન્ડની 15 કેરીઓ સહિત કેરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝીણા પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં કેરીની અવનવી જાત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.