નવસારી : કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું, અવનવી કેરી બની આકર્ષણનું કેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

New Update
  • નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયું અનોખું પ્રદર્શન

  • કેરીની દુર્લભ જાત માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું

  • 125 પ્રકારની કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી

  • કેરી સ્પર્ધા અને પ્રદર્શન લોકોમાં જમાવ્યું આકર્ષણ

  • સ્પર્ધામાં વિજેતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા 

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

વિશ્વ આખા પર ગ્લોબલ વોર્મિંગે ચિંતાનું આવરણ સર્જી દીધું છે.બદલાયેલા ઋતુચક્રએ  ખેતીના વ્યવસાય માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી દીધી છે.જેની સીધી અસર ખેતપેદાશ પર જોવા મળી રહી છે. હાલમાં ઉનાળામાં કેરીની સીઝન જોરમાં હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાનો પાક પણ બચી શક્યો નથી.ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી શકે અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન આપી શકે એવી કેરીની જાતને ખેડૂત અપનાવે એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરીની સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કુલ 125 પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સ્થાનિક 70 કેરી અને વિદેશી બ્રાન્ડની 15 કેરીઓ સહિત કેરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝીણા પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં કેરીની અવનવી જાત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.