નવસારી:ખેરગામના બંધાર ફળિયામાં બેકાબૂ બનેલી ટ્રક મકાનની દીવાલમાં ભટકાઈ

ખેરગામ તાલુકામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ખેરગામમાં આવેલ બંધાર ફળિયાના મકાનમાં ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

New Update

નવસારી જિલ્લાના ખેરગામના બંધાર ફળિયાના મકાનમાં બેકાબૂ બનેલી ટ્રક ઘૂસી જતાં 2 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસારખેરગામમાં આવેલ બંધાર ફળિયાના મકાનમાં ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક બંધાર ફળિયા નજીકથી ટ્રક લઈને પસાર થઈ રહ્યોતે દરમ્યાન સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા ટ્રક મકાનની દીવાલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. બનાવના પગલે મકાનમાં હાજર 2 લોકોને ઈજા પહોંચી હતીત્યારે બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફઅકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ખેરગામ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતોત્યારે હાલ તો પોલીસે ટ્રકના નંબરના આધારે ટ્રક ચાલક સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.