નવસારી : બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં,સરકારી શાળામાં બાળકોને અપાયેલાં દાળ-ભાતમાંથી ગરોળી નીકળતાં ચકચાર

સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે

New Update
નવસારી : બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં,સરકારી શાળામાં બાળકોને અપાયેલાં દાળ-ભાતમાંથી ગરોળી નીકળતાં ચકચાર

સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે એ માટે ખાનગી સંસ્થાઓને તેનો પરવાનો આપી એની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ વર્ષોથી ભોજનની ગુણવત્તા અંગે પ્રશ્નાર્થ ઊભો થતો રહે છે. ત્યારે ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પિરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી, જેથી બાળકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બનેલાં દાળ-ભાત વિદ્યાર્થીઓને પીરસાતાં એમાંથી ગરોળી નીકળી હતી. જોકે સમય સૂચકતા વાપરી શાળાએ તાત્કાલિક વિદ્યાર્થીઓને ભોજન ખાવાનું અને પીરસવાનું અટકાવ્યું હતું. નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવાનો પરવાનો આપવામાં આવ્યો છે. 

Read the Next Article

ભરૂચ : વાલિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી, દર્દીની રોકડ રકમ અને ATM કાર્ડ પરત કર્યા

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક

New Update
IMG-20250812-WA0253

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક અકસ્માતનો કોલ મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું હતી.જે અંગે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપ્યા હતા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.
Latest Stories