નવસારી : 25 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ, સેવાથી વંચિત છાપરા વિસ્તારના લોકોએ કરી પાલિકામાં રજૂઆત

નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.

New Update
નવસારી : 25 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ, સેવાથી વંચિત છાપરા વિસ્તારના લોકોએ કરી પાલિકામાં રજૂઆત

નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે. જે આવકારદાયક નિર્ણયને શહેરીજનોએ વધાવ્યો છે. જોકે, પાલિકાએ સૌથી વધુ શ્રમિકો અને શાળાઓ આવેલી છે, એવા છાપરા વિસ્તારને બસ કનેક્ટિવિટીથી દૂર રખાતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.

Advertisment W3.CSS

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા હદ વિસ્તરણ સાથે 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં છાપરા ગામનો પણ સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા વર્ષ 2021માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારીમાં 25 વર્ષ બાદ સીટી બસ શરૂ કરી શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ નવસારી શહેરમાં રહેલું છાપરા ગામ આ સીટી બસ સેવાથી વંચિત રહ્યું છે. સીટી બસ સેવા છાપરા રોડ વિસ્તારમાં ન જતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને છાપરા રોડ પર બસ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી.

છાપરા રોડ વિસ્તારમાં શહેરની મહત્તમ શાળાઓ આવેલી છે, અને જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે જ મોટામાં મોટી હીરા ફેક્ટરી પણ આ જ વિસ્તારમાં આવી છે. જેમાં દૂર દૂરથી નોકરી કરવા માટે મધ્યમ વર્ગના લોકો અહી આવે છે. બસની સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોએ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચી અને નોકરી સુધી પહોંચવું પડે છે. તેવામાં સ્થાનિકો દ્વારા છાપરા રોડ થઈ ઇટાડવા સુધી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે, પાલિકા હવે છાપરા રોડ સહિત અન્ય વિસ્તારોમાં સીટી બસ સેવા શરૂ કરે છે કેમ તે હવે જોવું રહ્યું.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં