નવસારી : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ટાંકલ ગામે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા...

સી.આર.પાટીલ સહિત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ટાંકલ ગામ ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમનું આયોજન

  • વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા

  • રૂ. 238 કરોડના વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

  • વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પણ ઉપસ્થિતિ 

Advertisment W3.CSS

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નવસારી જિલ્લાના ટાંકલ ગામ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના ટાંકલ ગામ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂ. 238 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

જેમાં ગવર્મન્ટ આદર્શ નિવાસી શાળાગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ એન્ડ ડાઈનીંગ હોલ તેમજ કન્સ્ટ્રકશન ઓફ સાયન્સ કોલેજ-ખેરગામનું ખાતમુહૂર્ત આ સાથે જ બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ 6 કિલોમીટરના સી.સી રોડનું પણ પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચમાં સંમેલનનું કરાયુ આયોજન

  • રાજપૂત છાત્રાલય ખાતે સંમેલન યોજાયું

  • આદિવાસી સંમેલનનું આયોજન

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • પોલીસ પર કર્યા આકરા પ્રહાર

Advertisment W3.CSS
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.
સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેતાં.