નવસારી : આંબાવાડીની સુરક્ષા માટે ખેડૂતોની માંગ,કેરી ચોરીની ફરિયાદ ઉઠતા ધરતીપુત્રો ચિંતાગ્રસ્ત

નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં 10થી વધુ ગામોમાં કેરી ચોરો સક્રિય થયા છે. મોંઘા ભાવે વેચાતી કેરી ચોરી કરીને સસ્તા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે.

New Update
  • નવસારીમાં કેરી ચોરીની ઉઠી ફરિયાદ

  • 10થી વધુ ગામોમાં કેરી ચોરીની ફરિયાદ

  • એક જ દિવસમાં 100 મણ કેરીની થઇ ચોરી  

  • આંબાવાડીમાં કેરી ચોરીથી ખેડૂતો ચિંતિત

  • જિલ્લા કલેક્ટર સમક્ષ સુરક્ષાની કરી માંગ

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં કેરી ચોરો સક્રિય થતા ખેડૂતોની ઉંઘ  ઉડી ગઈ છે. એક જ દિવસમાં 100 મણ જેટલી કેરી ચોરીની આશંકાએ ખેડૂતો સરકાર પાસે સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

નવસારી જિલ્લામાં કેરીના પાકનું આગમન થઈ ચૂક્યું છે.સમગ્ર જિલ્લામાં કેસર કેરીની આવક એપીએમસી માર્કેટમાં થઈ રહી છે. એક મણના એટલે કે 20 કિલોના 1800થી લઈને 2800 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. કેરીનો પાક ઓછો ઉતરવાના કારણે ભાવો આસમાને પહોંચ્યા છે. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં 10થી વધુ ગામોમાં કેરી ચોરો સક્રિય થયા છે. મોંઘા ભાવે વેચાતી કેરી ચોરી કરીને સસ્તા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે.જેને લઇને ખેડૂતોએ ભેગા મળીને નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પોતાની મોંઘી અને ઓછી ઉતરેલી કેરીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ખેડૂત સમાજના અગ્રણીઓ કરી રહ્યા છે.

કેરીના આસમાને પહોંચેલા ભાવોના કારણે સક્રિય થયેલા કેરી ચોર ટોળકીઓ સ્થાનિક વજન કાંટા લઈને કેરી ખરીદતા વેપારીઓને વેચી રહ્યા હોવાનું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. કેરી ચોરોને ડામવા માટે પરવાનગી વિના અથવા તો એપીએમસીના લાયસન્સ વિના કેરી ખરીદનાર સામે કાર્યવાહી કરવામાં આવે અને વાડી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.