નવસારી : અંબિકા નદીકિનારે જ પાલિકા દ્વારા ઠલવાતો ઘન કચરો, પ્રદૂષણ ફેલાતા GPCBએ નોટિસ ફટકારી

New Update
નવસારી : અંબિકા નદીકિનારે જ પાલિકા દ્વારા ઠલવાતો ઘન કચરો, પ્રદૂષણ ફેલાતા GPCBએ નોટિસ ફટકારી

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા પાલિકા દ્વારા અંબિકા નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં શહેરમાંથી ઉઘરાવેરો કચરો ઠાલવતા જી.પી.સી.બી.એ બીલીમોરા નગરપાલિકાને ફરી એકવાર નોટિસ ફટકારી છે..

બીલીમોરા અંબિકા નદી કાંઠે બીલીમોરાનો રોજીંદો હજારો ટન કચરો બીલીમોરા નગરપાલીકા દ્વારા અંબિકા નદીના પટમાં આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે. જેના કારણે પાણી, હવા અને જમીન આ ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દ્વારા સ્થળ તપાસમાં આ હકીકતો સામે આવતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બીલીમોરા નગરપાલિકાને નોટીશ ફટકારી આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરી દિન -7 માં એક્શન પ્લાન રજૂ કરવા જણાવતા પાલિકામાં ફફડાટ ફેલાયો છે. ઘર ઘરથી સુકો-ભીનો કચરો બતાવવા પૂરતો અલગ અલગ લાવવામાં આવે છે. જોકે ડંપિંગ સાઇટ ઉપર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. વર્ષ 2005માં નગરપાલિકાઓમાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો.જે નિર્ણય ને 16 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી તે કામ માત્ર કાગળો ઉપર જ છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી નવસારી દ્વારા બીલીમોરા નગરપાલિકાની અંબિકા નદી કિનારે આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસમાં ઘણી ક્ષતિઓ સામે આવી હતી, જેમાં બોર્ડ દ્વારા જણાવામાં આવ્યું છે કે, સ્થળ તપાસ કરતા નદી કિનારા પર સોલિડ વેસ્ટનો નિકાલ કરાતો જણાયું હતું. પાલિકા દ્રારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ઘનકચરા નિકાલ માટે પાલિકાના શાસકો કોઈ નક્કર કામગીરી કરી શક્યા નથી. બીલીમોરા નગરપાલિકાને અગાઉ પણ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ એ બાબતે પણ કોઈ નક્કર કામગીરી ન થતાં ફરી એકવાર પ્રદૂષણ બોર્ડે લાલ આંખ કરી છે ત્યારે નગરપાલિકાનો એક્શન પ્લાન કયારે તૈયાર થશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે.

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.

Latest Stories