નવસારી: સિઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો,કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત

નવસારી જિલ્લામાં સીઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો અને જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. અકળાવનારી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા

New Update
Navsari Heat Wave
  • આકરા ઉનાળાની શરૂઆત

  • નવસારીમાં કાળઝાળ ગરમી

  • સિઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો

  • તાપમાનનો પારો 40 ડીગ્રી

  • સડકો પર લોકોની અવરજવર ઘટી

Advertisment
નવસારી જિલ્લામાં સીઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાતા કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નવસારી જિલ્લામાં પણ હીટવેવ જોવા મળી રહી છે.નવસારી જિલ્લામાં સીઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો અને જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. અકળાવનારી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી ગ્રીન એલર્ટમાં હોવા છતાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુંમતાપમાનમાં  નોંધપાત્ર ફેરફાર થતા તેને અસર શહેરના માર્ગો પર દેખાઈ હતી અને માર્ગો જાણે સુમસામ ભાસી રહ્યા હતા. અંગડઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે આ વર્ષે ઉનાળો અતિશય આકરો રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપાણના કાર્યક્રમો યોજાયા, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • પર્યાવરણના જતનના સંકલ્પ લેવાયા

Advertisment W3.CSS
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  ઠેરઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગાર્ડન સિટી રોડ ઉપર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર અંકલેશ્વરની કેડીલા કંપની ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવોના સંકલ્પ લીધા હતા.