નવસારી : કળિયુગી પિતાએ પુત્રને આઠમા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતાર્યો, પોતે પણ કરી લીધી આત્મહત્યા..!

એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા પિતાએ પુત્રને બિલ્ડીંગના આઠમા માળ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

New Update
નવસારી : કળિયુગી પિતાએ પુત્રને આઠમા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતાર્યો, પોતે પણ કરી લીધી આત્મહત્યા..!

નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા પિતાએ પુત્રને બિલ્ડીંગના આઠમા માળ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

નવસારી શહેરમાંથી પિતા-પુત્રના સંબંધનો અગ્નિસ્નાન કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ-પત્નીના ઝગડામાં 4 વર્ષીય માસૂમ પુત્રને પિતાએ જ આઠમા માળેથી નીચે ફેંકી દીધા બાદ પોતે પણ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો છે. નવસારી શહેરના જૂના થાણા વિસ્તાર સ્થિત સરકારી વસાહતમાં વસવાટ કરતા રાકેશ ગોસ્વામી અને મનીષા ગોસ્વામી વર્ષ 2016માં લગ્નગ્રંથિએ બંધાયા હતા, અને ત્યારબાદ તેમના પરિવારમાં 2 જોડિયા બાળકોનો જન્મ થયો. જેમાં 4 વર્ષીય એક દીકરી અને એક દીકરો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચેના ખટરાગ ચાલ્યા કર્યા અને અંતે પિતા રાકેશ ગોસ્વામી હરેક વખતે અનેક શંકા કરીને પત્નીથી દૂર મુંબઈમાં ધંધા માટે રહેવાનું પસંદ કર્યું હતું. પત્ની મનીષા ગોસ્વામી સરકારી નોકરી કરીને બાળકોનું ભરણ-પોષણ કરી રહી હતી. તેમ છતાં પિતા પુત્ર દ્વિજ ગોસ્વામીને મળવા આવ્યો, અને સરકારી વસાહતના આઠમા માળે લઈ જઈ ત્યાંથી બાળકને નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દીધું હતું. એટલું જ નહીં, પિતા રાકેશ ગોસ્વામીએ પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories