નવસારી : ચપ્પુની અણીએ મહિલા પાસેથી ચલાવાયેલ મંગળસૂત્રની લૂંટનો મામલો, પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા...

ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • બીલીમોરાની સહયોગ સોસાયટીમાં ધોડે દહાડે ચલાવાય લૂંટ

  • મહિલા પર હુમલો કરી 2 લૂંટારુ મંગળસૂત્ર લઈ થયા હતા ફરાર

  • લૂંટારુઓને ઝડપી લેવા પોલીસ દ્વારા હાથ ધરાય હતી કવાયત

  • CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી 2 આરોપી ઝડપાયા

  • પોલીસે મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં 2 લૂંટારુઓએ મહિલા પર હુમલો કરી મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા સહયોગ સોસાયટીમાં 2 દિવસ પહેલા સવારના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ તથા એલસીબી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે વિવિધ ટીમ બનાવી બીલીમોરા શહેરના જુદા જુદાCCTV કેમેરા તપાસી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું છે કેપકડાયેલા 2 આરોપી પૈકી એક આરોપી બાજુની સોસાયટીમાં રહેતો હતોઅને 2 દિવસથી નિશાન બનાવેલ ઘર પર રેકી કરતો હતોજ્યાં મહિલા એકલી હોવાની માહિતી મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થવાના ચક્કરમાં હતો.

જોકેતે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બન્ને આરોપીઓ પર પૈસાનું દેવું વધી ગયું હતુંઅને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે પૈસાની જરૂર હતી. જે માટે લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.