નવસારી : ચપ્પુની અણીએ મહિલા પાસેથી ચલાવાયેલ મંગળસૂત્રની લૂંટનો મામલો, પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા...

ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • બીલીમોરાની સહયોગ સોસાયટીમાં ધોડે દહાડે ચલાવાય લૂંટ

  • મહિલા પર હુમલો કરી 2 લૂંટારુ મંગળસૂત્ર લઈ થયા હતા ફરાર

  • લૂંટારુઓને ઝડપી લેવા પોલીસ દ્વારા હાથ ધરાય હતી કવાયત

  • CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી 2 આરોપી ઝડપાયા

  • પોલીસે મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં 2 લૂંટારુઓએ મહિલા પર હુમલો કરી મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા સહયોગ સોસાયટીમાં 2 દિવસ પહેલા સવારના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ તથા એલસીબી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે વિવિધ ટીમ બનાવી બીલીમોરા શહેરના જુદા જુદાCCTV કેમેરા તપાસી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું છે કેપકડાયેલા 2 આરોપી પૈકી એક આરોપી બાજુની સોસાયટીમાં રહેતો હતોઅને 2 દિવસથી નિશાન બનાવેલ ઘર પર રેકી કરતો હતોજ્યાં મહિલા એકલી હોવાની માહિતી મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થવાના ચક્કરમાં હતો.

જોકેતે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બન્ને આરોપીઓ પર પૈસાનું દેવું વધી ગયું હતુંઅને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે પૈસાની જરૂર હતી. જે માટે લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.