નવસારી : અમલસાડી ચીકુના સ્વાદ રસિયાઓને માવઠાએ આપ્યા માઠા સમાચાર..!

ઉત્તર ભારતમાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોના માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે.

New Update
નવસારી : અમલસાડી ચીકુના સ્વાદ રસિયાઓને માવઠાએ આપ્યા માઠા સમાચાર..!

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે સમગ્ર જીવ સૃષ્ટિને વિપરીત અસર થઈ રહી છે. જેમાં બાગાયતનો બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ માથે હાથ દઇ રડવાનો વારો આવે તેવી સ્થિતિ નિર્માણ થયું છે. નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોને એક મણના 100 રૂપિયા જેટલા ઓછા ભાવ મળી રહ્યા છે.

ઉત્તર ભારતમાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોના માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે. ટ્રેન તથા વાહન વ્યવહાર માર્ગે દક્ષિણ ગુજરાતના ચીકુ મહારાષ્ટ્ર દિલ્હી તથા ઉતરપ્રદેશના બજારોમાં ઠાલવવામાં આવે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર ચીકુ પાક પર થઈ છે. ફળો નાના અને અપરિપક્વ હોવાના કારણે બજારમાં કિંમત ઘટી છે. એક મણના રૂ. 800 કે 1 હજાર મળતા હતા. જે ઘટીને હવે 200 કે 300 રૂપિયા જ મળી રહ્યા છે. માર્ચ મહિના દરમિયાન બજારમાં ચીકુ ઉપરાંત અન્ય ફળો મળતા નથી. જેના કારણે ખેડૂતોને માર્ચ મહિનામાં સારા ભાવ મળતા હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણના કારણે ચીકુના પાકને મોટી અસર થઈ છે. જેથી ખેડૂતોએ મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મંડળી એટલે અમલસાડ મંડળી. અમલસાડ મંડળીમાંથી રોજ લાખો ટન ચીકુનું નિકાસ કરવામાં આવે છે, ત્યારે અમલસાડ મંડળીમાં 10 હજાર મણ ચીકુની આવક રોજની થઈ રહી છે. જેની સામે જાવક ઘટી રહી છે. કારણ કે, અમલસાડથી દિલ્હી, મહારાષ્ટ્ર, જયપુર જેવા રાજ્યોમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રકો મળી નથી રહ્યા. તો જે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, એ ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ન જતા આ વખતે મંડળીએ અંદાજિત 10 લાખ રૂપિયાની ખોટ ખાવાનો વારો આવ્યો છે.

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની અસરની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે નવસારી જિલ્લાના જલાલપુર અને ગણદેવી સહિતના તાલુકામાં રાત્રિ સમયે કમૌસમી વરસાદ વરસ્યો હતો, જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા તો વધી છે, આ સાથે જ ચીકુનો પાક પણ ફરીથી નિષ્ફળ જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પહેલા જ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. ખેતીવાડી વિભાગમાં અત્યાર સુધી ખેતીમાં નુકસાન અંગેની કોઈ ખેડૂતે માહિતી આપી નથી. પરંતુ જો ખેડૂતો પાસેથી આની માહિતી મળશે તો આગામી સમયમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ : વાલિયાના ડેહલી ગામે 20 હજાર વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ, વનમંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

New Update

વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે કરાયું આયોજન

"એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત કાર્યક્રમ

વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ

વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

મોટી સંખ્યામાં મહાનુભાવો-વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાવાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગતરાજ્યનાવનઅનેપર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંમિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજયકક્ષાવનપર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જજળ સંપતી અને પાણી પુરવઠાગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે,  ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું.PM મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ગતવર્ષ "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાસમાજીક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારવન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈચ્યર, SRPF-CRPF કેમ્પના જવાનો, NCC કેડેડપોલીસ જવાનોસખી મંડળો સહિત માતાબહેનોશાળાના વિદ્યાર્થીઓવનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.