નવસારી : અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ કરાયો, કથાકાર મોરારી બાપુ રહ્યા ઉપસ્થિત

 નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • કળિયુગમાં ભગવાનને પામવા માટેના સત્માર્ગયજ્ઞતપ અને દાન

  • 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

  • યજ્ઞથી પર્યાવરણનું પ્રદૂષણ-ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોનું નિવારણ

  • દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા

  • લોકોના જીવનમાં આધ્યાત્મિકતા આવે તેવો શુભ આશય : મોરારી બાપુ

નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યજ્ઞતપ અને દાનએ કળિયુગમાં ભગવાનને પામવાના સત્માર્ગો છે. આધ્યાત્મિકતા જીવન જીવવા માટે જરૂરી અલૌકિક તત્વો છેત્યારે નવસારી શહેરમાં અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 350થી વધુ દેશભરના ભૂદેવો યજ્ઞમાં જોડાયા છે. 5 દિવસ સુધી ચાલનાર આ અતિરુદ્ર મહાયજ્ઞમાં હાજરી આપવા માટે કથાકાર મોરારી બાપુએ વિશેષ હાજરી આપી લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જ તેઓએ અતિરુદ્ર મહાયજ્ઞની સફળતા માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞના કારણે પર્યાવરણનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોના નિવારણ સાથે આધ્યાત્મિકતા જીવનમાં આવે તેવા શુભ આશયને કથાકાર મોરારી બાપુએ બિરદાવી હતી.

Read the Next Article

જૂનાગઢ : રાજ્યના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના પુત્ર અને એક વેપારીની ધરપકડ,1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો જપ્ત

જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,

New Update
  • લિસ્ટેડ બુટલેગર સામે ગુજસીટોકનો મામલો

  • ધીરેન કારિયા પોલીસ પકડથી છે દૂર

  • પોલીસે તેના પુત્ર અને વેપારીની કરી ધરપકડ

  • ક્રાઇમ બ્રાન્ચે 1001 એક્ટિવ સીમકાર્ડ કર્યા જપ્ત

  • બોગસ સીમકાર્ડમાં રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા

જૂનાગઢના ગુજસીટોક કેસમાં લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ફરાર છે.પરંતુ કુખ્યાત આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે.

જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,અને ધીરેન કારિયા સુધી પહોંચવાની પ્રથમ મહત્વની કડી પોલીસના હાથે લાગી છે.અને ચોંકાવનારી હકીકત બહાર આવી છે.ફરાર આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે.

બુટલેગર ધીરેન કારીયા સામે જૂનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો હતો અને તેને પોલીસ શોધી રહી હતીજે તપાસમાં જૂનાગઢ એલસીબી પી.આઈ. જે.જે.પટેલને હકીકત મળી જેના આધારે બુટલેગરના પુત્ર પરમ ધીરેન કારીયાને ઝડપી લેવાયો અને એનો મોબાઈલ ચેક કરતા તેમાં રાજ્ય બહારના એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડ મળી આવ્યા હતા. જેની તપાસમાં આ સીમકાર્ડ તેણે પોતાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી મારફતે બહારના રાજ્યથી ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન રતિલાલ મીઠીયા મારફત મેળવ્યા હતા. જે અંગે ગત 30 મેના રોજ પોલીસે બી ડિવિઝન પોલીસમાં જાણવા જોગ એન્ટ્રી કરીને વધુ તપાસ શરુ કરી હતી અને તે તપાસમાં પાટણના રાધનપુરમાં અમીપુરાના મોબાઈલના ધંધાર્થી ભરત શંકર પરમારને ત્યાં જૂનાગઢ એલસીબીએ સર્ચ કરતા અહીંથી 1001 જેટલા એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો મળી આવ્યો હતોજે પોલીસે કબજે કર્યો અને આ કેસમાં હાલ ભરત પરમાર અને ધીરેનના પુત્ર પરમ કારીયાની એલસીબીએ ધરપકડ કરીને બી ડિવીઝનના ગુન્હો નોંધાવ્યો અને આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કેઆ ગુન્હો અતિ ગંભીર છેજેમાં રાજ્ય બહારના એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો મળી આવ્યો છે અને બોગસ સીમકાર્ડનો રાજ્યવ્યાપી રેકેટ પણ ચાલતું હોવાની આશંકાને લઈને સમગ્ર મામલાની તપાસ હવે જૂનાગઢ એસઓજી કરી રહી છે. ત્યારે આ કેસમાં ધીરેન કારીયાની પત્ની નિશાબેન કારીયા સાથે ભરથ અંબુલાચંદનકુમાર મોહંતીસંદીપ ઉર્ફે બંટી જગદીશ અઢીયાની પણ સંડોવણી સામે આવતા તેની પણ પોલીસ અટકાયત કરશે.ઉલ્લેખનીય છે કે ધીરેન કારીયાની પત્ની નિશાબેન જૂનાગઢ મનપામાં ભાજપના પૂર્વ નગરસેવિકા તરીકે ચૂંટાયા હતા.