નવસારી : અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ કરાયો, કથાકાર મોરારી બાપુ રહ્યા ઉપસ્થિત

 નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • કળિયુગમાં ભગવાનને પામવા માટેના સત્માર્ગ યજ્ઞતપ અને દાન

  • 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

  • યજ્ઞથી પર્યાવરણનું પ્રદૂષણ-ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોનું નિવારણ

  • દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા

  • લોકોના જીવનમાં આધ્યાત્મિકતા આવે તેવો શુભ આશય : મોરારી બાપુ

 નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યજ્ઞતપ અને દાનએ કળિયુગમાં ભગવાનને પામવાના સત્માર્ગો છે. આધ્યાત્મિકતા જીવન જીવવા માટે જરૂરી અલૌકિક તત્વો છેત્યારે નવસારી શહેરમાં અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 350થી વધુ દેશભરના ભૂદેવો યજ્ઞમાં જોડાયા છે. 5 દિવસ સુધી ચાલનાર આ અતિરુદ્ર મહાયજ્ઞમાં હાજરી આપવા માટે કથાકાર મોરારી બાપુએ વિશેષ હાજરી આપી લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જ તેઓએ અતિરુદ્ર મહાયજ્ઞની સફળતા માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞના કારણે પર્યાવરણનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોના નિવારણ સાથે આધ્યાત્મિકતા જીવનમાં આવે તેવા શુભ આશયને કથાકાર મોરારી બાપુએ બિરદાવી હતી.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.