ભાવનગર : સિહોર નજીક ઈટોના ભઠ્ઠામાં દંપતીની હત્યાથી ચકચાર,પતિપત્નીને પાડોશીએ કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા

નેસડા ગામમાં પાડોશી સાથે દંપતીએ બોલાચાલી કરી હતી,જેના કારણે ઉશ્કેરાયેલા પાડોશીએ કુહાડીના ઘા મારીને દંપતીને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ

New Update
  • પતી વચ્ચેના ઝઘડાએ લીધું ઘાતકી સ્વરૂપ

  • ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા પતિપત્ની

  • દંપતીના ઝઘડમાં મધ્યસ્થી બનેલો પાડોશી બન્યો હત્યારો

  • પાડોશીએ કુહાડીના ઘા ઝીંકીને પતિપત્નીને મોતને ઘાટ ઉતાર્યા

  • પોલીસે ઘટના સ્થળે દોડી આવી આરોપીની કરી ધરપકડ

ભાવનગર જિલ્લામાં સિહોરના નેસડા ગામે રાત્રી દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો,જેમાં મધ્યસ્થી બનેલા પાડોશી સાથે દંપતીએ બોલાચાલી કરી હતી,જેના કારણે ઉશ્કેરાયેલા પાડોશીએ કુહાડીના ઘા મારીને દંપતીને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

ભાવનગર જિલ્લાના સિહોરના નેસડા મમાં ઈગાટોના ભઠ્ઠમાં પતિપત્નીની હત્યાની ઘટના બની હતી,મુળ નવસારીના રામુ હળપતિ અને તેમના પત્ની લક્ષ્મી હળપતિ સિહોરના નેસડા ગામે રહીને વિજય ખમળના ઈંટોના ભઠ્ઠા અને ખેત મજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે પતિ-પત્ની વચ્ચે કંઇક ઘરેલુ સમસ્યાને લઇને બોલાચાલી થઇ રહી હતીત્યારે પાડોશમાં રહેતા અમિત નાયકાએ દખલગીરી કરી હતી.

પતિના ઝઘડામાં અમિત નાયકાએ દખલગીરી કરતા રામુ હળપતિએ તેને દુર રહેવાનું કહ્યું હતુંજેથી અમિત નાયકાએ પિત્તો ગુમાવીને બાજુમાં પડેલી કુહાડી લઇને રામુના ગળા પર ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પતિને મારતા જોઇ લક્ષ્મીબેન વચ્ચે પડતા અમિતે લક્ષ્મીબેનને પણ ગળાના ભાગે કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ બનાવની જાણ વિજય ખમળને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અન્ય મજુરો પાસેથી વિગતો મેળવી તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ અધિક્ષક હર્ષદ પટેલડીવાયએસપીએલસીબીએસઓજી અને સિહોર પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. પોલીસે 108 મારફતે પતિ-પત્નીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.