/connect-gujarat/media/media_files/2024/12/26/cQnlsnRDT4zEmFSaIzBj.jpg)
સાબરકાંઠામાંથી ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.એક બંધ મકાનની અંદરથી નવજાત શિશુ બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે હાલ બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સાબરકાંઠામાં બંધ મકાનની અંદરથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નવજાત શિશુ બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા આ બાબત સામે આવતા108ની ટીમને જાણ કરી હતી.એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં ખસેડયુ હતું.
નવજાત શિશુ બંધ મકાનમાંથી મળી આવતા માઁની મમતા પર સવાલ ઉઠ્યા છે. કહેવત છે કે‘પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન બને’,પરંતુ આ કહેવત હવે આજના સમયમાં ખોટી પડી રહી છે. આજની માતાઓ આધુનિકતાની હોડમાં પોતાના સંતાનને તરછોડવા તૈયાર થઈ જાય છે.
કહેવાતી આધુનિક માતાને સંતાન ગુમાવવાનું દુઃખ થતું નથી. અને આથી જ પોતાના મોજશોખમાં ગર્ભવતી થયા બાદ માતાનું લેબલ ના લાગે માટે જન્મ થતાં જ બાળકને ત્યજી દે છે.વધુ એક વખત માની મમતા શર્મશાર થઈ છે.વિજયનગરના ભટેલા ગામેથી નવજાત શિશુ મળી આવતા કહેવાતી માતાના નામને લાંછન લાગ્યું છે. વિજયનગરના ભટેલા ગામ પાસે એક મકાન લાંબા સમયથી બંધ છે.
આ બંધ મકાનની અંદર અજાણી વ્યક્તિ નવજાત શિશુને તરછોડી ભાગી ગઈ હતી. જો કે એક સ્થાનિક દ્વારા બંધ મકાનની અંદરથી કોઈ અવાજ આવતા તપાસ કરી તો નવજાત શિશુ હોવાનું માલૂમ પડ્યું હતું. આ જાણ થતાં જ સ્થાનિકે તાત્કાલિક108ની ટીમને જાણ કરતા મદદ માટે પહોંચી હતી.અને એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં બાળક રાખેલ હતું. તેને બહાર કાઢવામાં આવ્યું હતું. જો કે નવજાત શિશુની હાલત ખરાબ હોવાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યું હતું.