પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

New Update
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના ત્રીજા સોમવારે ભારે ભાવિકો ઉમટ્યા છે.વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથ મંદિર પ્રતિ સોમવારે સવારે 04:00 વાગ્યે ભાવિકોને દર્શન માટે ખોલાય છે વહેલી સવારથી જ આસપાસના વિસ્તારોમાંથી તેમજ દેશ વિદેશમાંથી દર્શને પહોંચતા ભાવિકો સાનુકૂળ રીતે સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ સાનુકૂળ વ્યવસ્થા ઉભી કરી છે તો સોમનાથ મંદિર ઝેડ પ્લસ કેટેગરીમાં આવતું હોય જેના કારણે સુરક્ષા વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા હતા. હાથમાં ફૂલ બિલિપત્રો અને ગંગાજળ લઈ અને પોતે ક્યારે દર્શન કરી શકશે તેની પ્રતીક્ષામાં ઉભેલા જોવા મળ્યા હતા.અબાલ વૃદ્ધ સૌ શાંતિથી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે તો અનેક ભાવિકો ચંદ્રયાન ત્રણની ભવ્ય સફળતાને સોમનાથ દાદાની કૃપા પણ માની રહ્યા હતા.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.

Latest Stories