સાબરકાંઠા જિલ્લાની એક એવી ચમત્કારિક જગ્યા કે, જ્યાં વર્ષોથી વહ્યા કરે છે અસ્ખલિત પાણી..!

સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે.

New Update
સાબરકાંઠા જિલ્લાની એક એવી ચમત્કારિક જગ્યા કે, જ્યાં વર્ષોથી વહ્યા કરે છે અસ્ખલિત પાણી..!

સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે. બાળસમુદ્ર નામની જગ્યાએ પહોંચવા માટે 3 જેટલા ડુંગરો પસાર કરવા પડે છે. એક તળાવ આવે છે, અને તળાવની કિનારે કિનારે જઈને ગીચ જંગલો વચ્ચે આ ચમત્કારિક જગ્યા આવેલી છે. રાજેન્દ્રનગર ગામથી 3 કિમીથી વધુ અંતર ચાલતા જવું પડે છે, ત્યારબાદ દર્શન થાય છે.

Advertisment W3.CSS

બાળસમુદ્ર એક બાળકના નામ પરથી પડ્યું છે, અને આ બાળસમુદ્ર અન્ય બાળકોની તરસ પણ છીપાવી રહ્યું છે. એક દંતકથા પ્રમાણે એક માતા પોતાના બાળકને જંગલમાં લઈ ગઈ હતી, અને અચાનક મહિલા પાછળ કેટલાક લોકો પડ્યા હતા, અને તે મહિલા આ જગ્યાએ બાળકને મૂકીને જંગલમાં ભાગી ગઈ હતી. ત્યારબાદ બાદ માતા તે જગ્યાએ પરત આવતા જોયું તો બાળકનું મોત થયું હતું. આ જ જગ્યાએ બાળકે પગ ઘસ્યા હતા, અને ત્યારે ત્યાંથી અચાનક પાણીની ધારાઓ વહેલા લાગી હતી. બસ ત્યારથી જ આ જગ્યા પર પાણીનો અસ્ખલિત પ્રવાહ ચાલુ થયો હોવાની લોકવાયકા છે.