પંચમહાલ : શરદ પૂનમ નિમિત્તે પાવાગઢ મહાકાળી માઁના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

New Update
પંચમહાલ : શરદ પૂનમ નિમિત્તે પાવાગઢ મહાકાળી માઁના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

હિન્દુ ધર્મના શક્તિપીઠો પૈકીનું એક પાવાગઢ શક્તિપીઠ કે, જ્યાં સાક્ષાત મહાકાળીમાં બિરાજમાન છે. જેના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે આજે શરદ પૂનમના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઊમટ્યું હતું, જ્યાં માતાજીના દર્શન કરવા વહેલી સવારથી જ માઈભક્તોની ભારે ભીડ જામી હતી. માઈભક્તોએ મહાકાળી માઁના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, દર રવિવારે પાવાગઢ મંદિરે દર્શનાર્થીઓ ઘસારો જોવા મળતો હોય છે. પરંતુ આજે ખાસ કરીને શરદ પૂનમ હોવાથી લાખોની સંખ્યામાં માઈભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.