પંચમહાલ : ગોધરા-દાહોદ હાઈવે પર નવીનીકરણ થયેલા પ્રભા બ્રિજનું કામ તકલાદી, લોકોમાં રોષ

બ્રિજની સાઈડમાં આવેલ દીવાલમાં તિરાડો અને સળિયા બહાર આવી જતાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ

New Update
પંચમહાલ : ગોધરા-દાહોદ હાઈવે પર નવીનીકરણ થયેલા પ્રભા બ્રિજનું કામ તકલાદી, લોકોમાં રોષ

પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે ઉપર હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલા પ્રભા બ્રિજ પરનું કામ R&Bના સત્તાધીશો દ્વારા હજુ થોડા જ સમય પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે આ બ્રિજની સાઈડમાં આવેલ દીવાલમાં તિરાડો અને સળિયા બહાર આવી જતાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.

ગોધરા શહેરમાં દાહોદ હાઈવે ઉપર થોડા સમય પહેલા જ નવીનીકરણ કરવામાં આવેલ પ્રભા બ્રિજમાં ભારે ગેરરીતિ થઈ હોવાની આશંકા આજુબાજુમાં રહેતા રહીશો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, બ્રિજની કામગીરી દરમિયાન કામ કરનાર એજેન્સીએ ટેન્ડરની શરતો અને ધારાધોરણ મુજબ મટીરિયલ વાપરવાનું હોય તેના બદલે હલકી કક્ષાનું મટીરિયલ અને સિમેન્ટ વાપરવામાં આવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. બ્રિજની સાઈડમાં દીવાલની કામગીરી નબળી હોવાના કારણે મોટી મોટી તિરાડો પડી ગઈ છે. હાલમાં આ બ્રિજ પર ડામર પાથરીને વહેલી તકે આ રસ્તાનો ઉપયોગ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે દીવાલમાં તિરાડો પડી જતા બ્રિજની આજુબાજુ રહેતા લોકોને આ દીવાલ તૂટીને પોતાના ઘરો ઉપર ન પડે તેવી ભીતિ સેવી રહ્યા છે. R&Bના સતાધીશોને આજુબાજુમાં રહેતા રહીશોની નહીં પરંતુ આ રસ્તાને વહેલી તકે શરૂ કરવાની પડી હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે
Latest Stories