પાટણ : ડીસા અગ્નિકાંડ બાદ ગેરકાયદે ચાલતા ફટાકડાના 2 ગોડાઉનો પર પ્રાંત અધિકારીની ટીમના દરોડા…

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ દુર્ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં ચેકિંગ સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

New Update
  • ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો મામલો

  • બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકો મોતને ભેટ્યા હતા

  • આ દુર્ઘટના બાદ પાટણ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું

  • પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી ચેકિંગ હાથ ધરાયું

  • ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા પડાયા 

Advertisment

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા છેત્યારે આ દુર્ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં ચેકિંગ સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાટણ અને ચાણસ્મામાં આવેલી ફટાકડાની વિવિધ દુકાનો અને ગોડાઉનોમાં નાયબ મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી. પાટણ LCB પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારેપાટણ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાટણના રામનગર વિસ્તારના સદારામ એસ્ટેટના ગોડાઉનોમાંથી 2 ગેરકાયદેસર ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં પરવાનગી વગર મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.

પાટણનો રહેવાસી 2 ગેરકાયદેસર ગોડાઉનમાં ફટાકડાનો વેપાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે જ પ્રાંત અધિકારીમામલતદાર અને પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જો જરૂરી જણાશે તો દંડનીય કાર્યવાહી હેઠળ ગોડાઉનને જપ્ત પણ કરવામાં આવી શકે છે.

Advertisment
Read the Next Article

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે

New Update
aaagagahi

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

Advertisment

જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

Advertisment