પાટણ : ડીસા અગ્નિકાંડ બાદ ગેરકાયદે ચાલતા ફટાકડાના 2 ગોડાઉનો પર પ્રાંત અધિકારીની ટીમના દરોડા…

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ દુર્ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં ચેકિંગ સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

New Update
  • ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો મામલો

  • બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકો મોતને ભેટ્યા હતા

  • આ દુર્ઘટના બાદ પાટણ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું

  • પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી ચેકિંગ હાથ ધરાયું

  • ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા પડાયા 

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા છેત્યારે આ દુર્ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં ચેકિંગ સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાટણ અને ચાણસ્મામાં આવેલી ફટાકડાની વિવિધ દુકાનો અને ગોડાઉનોમાં નાયબ મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી. પાટણ LCB પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારેપાટણ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાટણના રામનગર વિસ્તારના સદારામ એસ્ટેટના ગોડાઉનોમાંથી 2 ગેરકાયદેસર ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં પરવાનગી વગર મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.

પાટણનો રહેવાસી 2 ગેરકાયદેસર ગોડાઉનમાં ફટાકડાનો વેપાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે જ પ્રાંત અધિકારીમામલતદાર અને પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જો જરૂરી જણાશે તો દંડનીય કાર્યવાહી હેઠળ ગોડાઉનને જપ્ત પણ કરવામાં આવી શકે છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ