Connect Gujarat
ગુજરાત

પાટણ: સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન

પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

X

પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે 50વીઘા જમીનમાં અંદાજિત રૂપિયા 100 કરોડના નવનિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story