પાટણમાં વિસર્જન પ્રસંગે સર્જાઈ કરુણાંતિકા
સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં બની ગોઝારી ઘટના
એક જપરિવારના ચાર સભ્યો નદીમાં ડૂબ્યા
વેરાઈ ચકલામાં શોકની કાલિમા છવાઈ
એક સાથે ચાર અર્થીઉઠતા ગામ હિબકેચડ્યું
ઉત્તર ગુજરાતના પાટણમાં વિઘ્નહર્તા દેવનો પાંચમા દિવસનો વિસર્જન નો પ્રસંગ પ્રજાપતિપરિવાર માટે કાળનો અવસર બન્યો હતો,સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા બે પુત્રો અને મામાએજીવગુમાવતા ગામ હિબકે ચડ્યું હતું.મૃતકોની અંતિમ યાત્રાએસૌને શોકમગ્ન કરી દીધા હતા.
પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, બે પુત્રો અને મામાનાં મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકનીકાલિમા છવાઈ ગઈ હતી.નીતિશ પ્રજાપતિના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો રહેતાહતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.
નીતિશપ્રજાપતિના પરિવારેપાંચદિવસના ગણપતિનું ઘરમાં સ્થાપન કર્યું હતું,અનેબુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા.
તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.
ચારેયલોકોનીઅંતિમવિધિમાટે મૃતદેહોનો પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેયલોકોનાએક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અંતિમ સંસ્કારના પ્રસંગે ગામ આખું હિબકેચડ્યું હતું,અને ભારે આક્રંદથીવાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.