પાટણ: વિસર્જનનાં પ્રસંગમાં કરુણાંતિકા સર્જાઈ,સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા-પુત્રો સહિત ચારના મોત

સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા

New Update

પાટણમાં વિસર્જન પ્રસંગે સર્જાઈ કરુણાંતિકા

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં બની ગોઝારી ઘટના

એક જપરિવારના ચાર સભ્યો નદીમાં ડૂબ્યા

વેરાઈ ચકલામાં શોકની કાલિમા છવાઈ

એક સાથે ચાર અર્થીઉઠતા ગામ હિબકેચડ્યું

ઉત્તર ગુજરાતના પાટણમાં વિઘ્નહર્તા દેવનો પાંચમા દિવસનો વિસર્જન નો પ્રસંગ પ્રજાપતિપરિવાર માટે કાળનો અવસર બન્યો હતો,સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા બે પુત્રો અને મામાએજીવગુમાવતા ગામ હિબકે ચડ્યું હતું.મૃતકોની અંતિમ યાત્રાએસૌને શોકમગ્ન કરી દીધા હતા.

પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતાબે પુત્રો અને મામાનાં મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકનીકાલિમા છવાઈ ગઈ હતી.નીતિશ પ્રજાપતિના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો રહેતાહતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.

નીતિશપ્રજાપતિના પરિવારેપાંચદિવસના ગણપતિનું ઘરમાં સ્થાપન કર્યું હતું,અનેબુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા.

તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.

ચારેયલોકોનીઅંતિમવિધિમાટે મૃતદેહોનો પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેયલોકોનાએક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અંતિમ સંસ્કારના પ્રસંગે ગામ આખું હિબકેચડ્યું હતું,અને ભારે આક્રંદથીવાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.

Read the Next Article

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની RK વકીલ શાળાના 500 વિદ્યાર્થીઓને યુનિફોર્મ- બુટનું વિતરણ કરાયુ, હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રોલાઈફ ફાઉન્ડેશનનું સેવાકાર્ય !

શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા

New Update
  • હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા

  • આર.કે.વકીલ હાઈસ્કૂલ શાળામાં યોજાયો કાર્યક્રમ

  • વિદ્યાર્થીઓને યુનિફોર્મ-બુટનું વિતરણ કરાયુ

  • હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ- પ્રો લાઈફફાઉન્ડેશનનું સેવા કાર્ય

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કુલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે આ શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા છે.હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણ જોલી, યોગેશ પારિક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.
યુનિફોર્મ વિતરણનો આજરોજ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ,હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ,મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપ-પ્રમુખ ઉમેદભાઈ પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ, મંડળના સલાહકાર ચંદ્રકાન્ત ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડીયા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રોલાઇફ ફાઉન્ડેશનના આગેવાનોનું શાલ ઓઢાડી,સન્માન પત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.