પાટણ: હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના , અજાણ્યા વાહનચાલકે પગપાળા સંઘને અડફેટે લેતા 3 પદયાત્રીના મોત..!

બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો.

New Update
પાટણ: હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના , અજાણ્યા વાહનચાલકે પગપાળા સંઘને અડફેટે લેતા 3 પદયાત્રીના મોત..!

પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ રન એન્ડની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા સંઘને ટક્કર મારાતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 4થી વધુ યાત્રાળુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહનચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બે મહિલા અને એક કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચારની હાલત અતિગંભીર હોવાની માહિતી મળી રહી છે.પગપાળા સંઘને અજાણ્યા વાહનચાલકે મારેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે માતાજીનો રથ રોડ પરથી સાઈડની ઝાડીઓમાં ફંગોળાઇ ગયો હતો. આ અંગે હારીજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.